સિહોર: કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ મોરી દ્વારા આકરા પ્રહાર ભાજપ પર સખવદર ખાતે યોજાયેલા સભામાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પ્રચાર ના પૂર્ણ થવાને આડે થોડો સમય બાકી હોય ત્યારે સખોદર ખાતે યોજાયેલી આજની કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ મોરી દ્વારા સભાને સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોર લગાવી કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહ્યા હતા સમગ્ર ગામ કોંગ્રેસ મય બનાવી દેવામાં આવ્યું હતું