ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કોટેશ્વર ચાર રસ્તાથી ગણેશ નગર સુધી દબાણ હટાવવાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે.આજે મહાનગરપાલિકાના 3 જે.સિ.બી.,2 ટ્રેકટર તથા પૂરતા માનવબળ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ અને દબાણ શાખાના ગાયત્રી પ્રસાદ જોશીની હાજરીમા સવારથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે,સાંજ સુધી અંદાજીત 250 થી વધુ દબાણો દુર કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા આ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે,જેમાં સહકાર આપવા લોકોને અપીલ કરવામા આવી છે