ભગવાન શ્રીકૃષ્ણની સાથે ગોકુળ મથુરા થી આવેલા ગૌ પાલકો એટલે દ્વારકાના રબારી માલધારી સમાજમાં આજે પણ ભગવાન દ્વારકાધીશના જન્મ ઉત્સવની અનોખી તૈયારી અને ઉજવણી કરે છે..
જન્માષ્ટમીના વહેલી સવારે સ્થાનિક માટીમાંથી રબારી બહેનો ભગવાન શ્રીકૃષ્ણ ની સુંદર મૂર્તિ બનાવે છે અને રંગબેરંગી શણગારથી આઠમના દિવસે શણગારે અને આખી રાત કૃષ્ણ સાથે ભક્તિમય રાસ રમે છે અને નોમના દિવસે સાંજે 5:00 વાગ્યે રબારી બહેનો ખૂબ જ ભાવપૂર્વક તળપદી ભાષામાં કાનુડાને યાદ કરતા કરતા રાસ અને ગરબા સાથે દ્વારકા નગરીમાં વિહાર કરી જગત મંદિરની સામે આવેલા માતા ગોમતી નદીના ઘાટ પર આ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનું ભારે હૈયે વિસર્જન કરી અને અનોખી જન્માષ્ટમી ઉજવે છે..
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દ્વારકા અને આસપાસના વિસ્તારોના વિશેષ સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાયક શેર અને સબસ્ક્રાઇબ કરો.