ઉગલવાણ ગામના એક વ્યક્તિને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના મામલે હવે તેમના પિતાનું નિવેદન સામે આવ્યું છે. પિતાએ જણાવ્યું કે, કોઈ યોગ્ય કારણ વગર તેમના પુત્રને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાથી પરિવારજનોમાં રોષ ફેલાયો છે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.