નખત્રાણા: નખત્રાણામાં કરંટ લાગતા યુવાનના મોત મામલે શો-રૂમ સંચાલક સામે ગુનો
નખત્રાણામાં કરંટ લાગતા યુવાનના મોત મામલે શો-રૂમ સંચાલક સામે ગુનો નખત્રાણાના સોનલ ટ્રેક્ટર શો-રૂમના સર્વિસ સ્ટેશનમાં ૨૨ વર્ષીય યુવાન કુલદીપ ઓઢાણાનું ઇલેક્ટ્રિક કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. પરિવારે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે બેદરકારી દાખવવા બદલ શો-રૂમના સંચાલક હરેશદાન ગઢવી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.