સિહોર: સિહોર ના ઈશ્વરીયા ગામે ગુમ થયેલ વ્યક્તિ નો મૃતદેહ મળતા ચકચાર
આંબલા ગામનો યુવાન ગુમ થયો હતો અને ઈશ્વરીયા ગામના તળાવમાં ડૂબ્યો હોવાની માહિતી મળતા સિહોર ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ યુવક ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધીની કામગીરી છતાં મળી ન આવતા વહેલી સવારથી શોધખોળ કામગીરી સિહોર તથા ભાવનગર ફાયર વિભાગે શરૂ કરી હતી અંતે બપોરે સફળતા મળી હતી અને આંબલા ગામનો હરેશભાઈ દયાળભાઈ ડાભી ઉવ ૩૫ની લાશ તળાવ માંથી મળી આવી હતી. યુવાન ના મોત અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે