વલ્લભીપુર: તાલુકા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત , અરજદારો અને કર્મચારીઓના જીવ પર ખતરો
વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત થતાં અહી આવતા અરજદારો તેમજ કર્મચારીઓ પર પોપડા પડવાનો ખતરો તોળાઇ રહ્યો છે , હાલ આ કચેરી ગામડાઓના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ તાલુકા પંચાયત કચેરી પોતાના નવનિર્માણ નું મુહૂર્ત ક્યારે આવશે તેની રાહ જોઈ રહી છે , ટુંક સમયમાં આ બિલ્ડિંગ નું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ તાલુકા વાસીઓ કરી રહ્યા છે.