ગાંધીધામ: ભારત નગર વિસ્તારમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ : વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને નવનિયુક્ત મેયરનું સન્માન
ગાંધીધામના વોર્ડ નં. ૧૦ સ્થિત ભાનુભવન,ખેતરપાળ મંદિર પાસે ભારતનગર વિસ્તારમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત ‘એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ 'સાંસદ સ્વચ્છતા અભિયાન' અંતર્ગત આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવી સફાઈ કામગીરી હાથ ધરાઇ અને મનપાના મેયર,સમગ્ર ટીમ તથા જિલ્લા ભાજપ મહામંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતુ