જહાંગીરપુરા થી અલથાણ જતી બસને કૈલાશ નગર ખાતે નડ્યો અકસ્માત, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
Majura, Surat | Mar 2, 2026 સુરતશહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી, જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો હતો,જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના ફુરચા ઉડી ગયા હતા,આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે.