મુખ્યમંત્રીના આગમનને લઈને રૂટમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા.આગામી 14 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભાવનગર આવી રહ્યા હોય ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટમાં રહેલા અસ્થાયી પ્રકારના દબાણો મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેબીનો પતરાના સેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા.