ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તરસ્યા ખાતે આવેલા આવાસ યોજનાના મકાનો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવેલા મકાનો અંતર્ગત કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૨૩ જેટલા આવાસ યોજનાના મકાનોને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.