ખંભાત: લાલ દરવાજા-ગાયત્રીનગર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવકનું મોત
Khambhat, Anand | Jun 15, 2026 મૃતક યુવક તાહિરભાઈ મહંમદભાઈ દીવાન (ઉંમર વર્ષ 37, રહે. નગીના મસ્જિદ પાછળ) પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન લાલ દરવાજા-ગાયત્રીનગર રોડ પર આવતા ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બાઈક સવાર તાહિરભાઈને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક ખંભાતની સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે