ખંભાત: અધિક માસના પવિત્ર અવસરે શ્રી ગુસાંઈજી નૌકાવિહાર સહીતના મનમોહક મનોરથ દર્શન, ભક્તો ઉમટ્યા.
શ્રી ગુસાંઈજી બેઠક મંદિર ખાતે અધિક માસની શરૂઆતથી જ મુખ્યાજી, સંચાલક મંડળ અને વૈષ્ણવ ભક્તોની સેવા દ્વારા વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વૈષ્ણવ ભક્તો માટે મનોહર દર્શન યોજાય છે. અહીં ફૂલનો બંગલો, રથયાત્રા, માખણ ચોરી, મોતીનો બંગલો, લાલઘટા, ચંદન-સુખડનો બંગલો, સુકામેવાનો બંગલો અને નૌકાવિહાર જેવા અનેક આકર્ષક મનોરથોના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા.