રમજાન મહિનો તેમજ નજીકમાં આવેલા હોળી-ધુળેટી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં શહેરના વિવિધ સમાજોના અગ્રણીઓ, વેપારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા આવનારા તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.