કેશોદ શહેરમાં પાણીની અછતને લઈને શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં દસ-દસ દિવસે એક વખત જ પાણી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શિયાળાની ઋતુમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા ઉનાળામાં સ્થિતિ કેટલી ગંભીર બનશે તે અંગે લોકો ચિંતિત બન્યા છે.