માંગરોળ ના સમારડા ગામમાં પરણિતાને પતિ અને સાસરિયાઓ દ્વારા કરિયાવર બાબતે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.માહિતી મુજબ અજાબ ગામની યુવતીના લગ્ન પરિવારજનો દ્વારા માંગરોળ તાલુકાના સમારડા ગામે સંજય માવડીયા નામના યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદથી જ પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા વધુ કરિયાવરની માંગણી સાથે વારંવાર ટોણાં મારવા, ભૂંડી ગાળો આપવા અને ઢીકા-પાટુનો માર મારવા જેવા આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવી.