અંજાર: મેઘપર બોરીચીમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત - વિકસિત ભારત અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ યોજાઈ
Anjar, Kutch | Jun 11, 2026 સ્વચ્છ ભારત - વિકસિત ભારત અભિયાન અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ અભિયાન દરમિયાન જાહેર માર્ગો, ખુલ્લી જગ્યાઓ તથા આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સાથે જ સ્થાનિક નાગરિકોને સ્વચ્છતા જાળવવા, કચરો નિર્ધારિત સ્થળે નાખવા તથા સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.