અંજાર: તાલુકામાં દોઢ વર્ષથી પિયરમાં રહેલી મહિલાનું 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સફળ સમાધાન કરાવવામાં આવ્યું
Anjar, Kutch | May 17, 2026 181 મહિલા હેલ્પલાઇનને મળેલી ફરિયાદના આધારે કાઉન્સેલર નિરૂપાબેન બારડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર અને પાયલોટ દિગ્વિજયસિંહ વાઘેલા તાત્કાલિક અંજાર તાલુકામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.181 ટીમે બંને પક્ષ સાથે વાતચીત કરી કુશળ કાઉન્સેલિંગ દ્વારા પતિ-પત્ની તેમજ પરિવારજનો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ દંપતીએ 181 ટીમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે સમયસર માર્ગદર્શન મળતાં તેમનો તૂટવાના આરે આવેલો ઘર સંસાર ફરીથી જોડાઈ શક્યો છે.