અંજાર: સચ્ચિદાનંદ મંદિરના નવા નિર્માણ માટે પાયાવિધી મહોત્સવ યોજાયો
Anjar, Kutch | Jun 19, 2026 અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર ખાતે મંદિરના નવીન નિર્માણ કાર્યની પાયાવિધીનો પાવન પ્રસંગ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત મોટી સંખ્યામાં ભક્તજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌને કાર્યક્રમ દરમિયાન મહંત ત્રિકમદાસજી મહારાજ તથા ભગવાનદાસજી મહારાજના પાવન આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.