ખંભાત: સુરતના કબુતરબાજને 8.30 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારાઈ
સુરતના સિંગણ પોર ચાર રસ્તા પાસે રહેતા એક કબુતરબાજ અમરીશકુમાર કાળુભાઈ વઘાસીયાને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટી વિઝા મેળવી આપવાના કામ બાબતે ખંભાત તાલુકાના હરિયાણા ગામના યુવાન પાસેથી 15.99 લાખ જેટલી માતબર રકમ લઈને વિઝા નહીં લાવી આપી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યા બાદ આપેલા 8.30 લાખના બે ચેકો પૈકી 8.30 લાખના ચેક રીર્ટન કેસમાં ખંભાતની અદાલતે એક વર્ષની સાદી કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.ફરિયાદીને વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યા છે.