સામાજિક જવાબદારીના ભાગરૂપે, શહેરના નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એક ખાસ કાર્યક્રમનું આયોજન ખંભાત શહેરની નોલેજ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું.આ સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમમાં કોન્સ્ટેબલ માહિરઅલી સૈયદ અને પ્રયાસ રાણા દ્વારા નોલેજ સ્કૂલના ધો-6 થી 12ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સાયબર ક્રાઈમ અંગેની સમજ આપી માહિતગાર કરાયા હતા. સાયબર ક્રાઇમની સરળ સમજૂતી આપી તેનાથી બચવાના પ્રયાસો અંગે,સાયબર ક્રાઇમના સત્ય હકીકતોથી વાકેફ કરાયા હતા.