અંજાર: રતનાલ ગામે વૃક્ષારોપણ સાથે ગૌસેવા અને સંસ્કાર શિક્ષણનો પ્રેરણાદાયક કાર્યક્રમ
Anjar, Kutch | Jul 5, 2026 અંજાર તાલુકાના રતનાલ ગામે શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાયના સાનિધ્યમાં ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સંસ્કાર શિક્ષણને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ અને ગામના અગ્રણી નાગરિકો તથા માતૃશક્તિના હસ્તે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે જણાવવામાં આવ્યું કે,ગામના સેવાભાવી સમાજસેવક નારણભાઈ આર.આહીર. દ્વારા અગાઉ ગૌચર જમીનને મુક્ત કરાવી સમાજહિત માટે સમર્પિત કરવામાં આવી હતી.