ગાંધીધામ: શિણાય કેનાલમાં બની હૃદયદ્રાવક દુર્ઘટના; કેનાલમાં ડૂબી જવાથી પિતા અને પુત્રના મોત
શિણાય નજીક આવેલા કેનાલમાં 22 વર્ષીય પુત્ર અને 43 વર્ષીય પિતાનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે.મળતી માહિતી મુજબ ગણેશભાઈ બજારિયા કેનાલમાં પગ લપસતા પાણીમાં વહેતા થયા,પુત્રને બચાવવા માટે પિતા અલ્પેશભાઈ પાણીમાં કૂદી પડયા,બંને પ્રબળ પ્રવાહમાં સપડાયા,ઘટનાની જાણ થતાં પોલીસ,ફાયર બ્રિગેડ તથા ડોલ્ફિન અન્ડરવોટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન કર્યું,ડોલ્ફિન અન્ડરવોટરની ટીમના યસ પંચોલી અને અતુલભાઇ વાઘમશી દ્વારા બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા