ખંભાત: ખંભાતના હૈદરપુરાના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
Khambhat, Anand | Jun 19, 2026 મૃતક હરીશભાઈ લખનભાઈ ડાભી (દેવીપૂજક), જે ગોલાણાના હૈદરપુરા વાલ્મિક વાસમાં રહે છે.તેણે ગત તા. 18/6/2026 ના રોજ બપોરના સમયે પોતાના ખેતરમાં ઝેરી દવા સેલ્ફોસ પી લીધી હતી.જાણ થતા યુવકને સૌ પ્રથમ તેમને કાર્ડિયાકેર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે કરમસદ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવકનું અવસાન થયું હોવાની માહિતી મળી છે. આ મામલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.