અંજાર: ટાઉનહોલ ખાતે અંજાર અને દુધઈ પોલીસ દ્વારા લોકજાગૃતીના હેતુથી બેન્કના અધિકારીઓ સાથે લોન મેળાનુ આયોજન કરાયું
Anjar, Kutch | Apr 10, 2026 સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરીયાત લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કીંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની અધ્યક્ષામાં અંજાર મધ્યે ટાઉન હોલ ખાતે લોન મેળાનુ આયોજન કરાયું જેમાં અંજાર પીઆઇ એચ.એ.જાડેજા તથા દુધઈ પીઆઈ એન.બી.ડોડીયાએ અંજાર માંથી એસ.બી.આઈ બેન્ક તથા એચ.ડી.એફ.સી. બેન્ક તથા એક્સિસ બેન્ક જેવી અલગ અલગ બેન્કઓના અધિકારી તેમજ નગરપાલીકાના કર્મચારીઓને આમંત્રણ આપી લોન મેળાનુ આયોજન ક૨વામાં આવ્યુ હતુ.