ખંભાત: જનરલ હોસ્પિટલમાં તુકારીને બોલાવવાની બાબતે સ્ટાફ નર્સ-પતિએ એકને માર મારતાં ફરિયાદ
Khambhat, Anand | May 12, 2026 ફરિયાદી હિરેનકુમાર પરસોત્તમભાઈ વ્યાસ પોતાના પિતાને પેરાલીસીની સારવાર કરાવવા માટે ભાભી સાથે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં સ્ટાફ નર્સ તૃપ્તિબેન અશ્વિનભાઈ વ્યાસે 'તુ તારા ફાધરને બતાવી આવ, પછી મને મળજે, મારે તારું કામ છે' તેમ કહેતા જ હિરેનકુમારે 'તારે કામ હોય તો તુ ઘરે આવજે' તેમ કહેતા જ તૃપ્તિબેન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને લાફો મારી દીધો હતો. ત્યારબાદ પોતાના પતિને ફોન કરીને બોલાવતા તેઓ પણ આવી પહોંચી હિરેનકુમારને ગડદાપાટુનો માર માર્યો હતો.