ખંભાત: નગરા ગામે પ. પૂ. જગદગુરુ કણીરામબાપુની ભવ્ય પધરામણી, માલધારી સમાજમાં અનેરો ઉત્સાહ.
નગરા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા એક અત્યંત શ્રદ્ધાપૂર્વક અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વડવાળા મંદિર, દૂધરેજધામના મહંત અને અનંતશ્રી વિભૂષિત પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર કણીરામબાપુ (જગદગુરુ) ની નગરા ગામે પ્રથમ પાવન પધરામણી થતા સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.વેરાઈ માતાજીના મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા નગરાના રબારીવાસ સુધી પહોંચી હતી. સુશોભિત બગીમાં બિરાજમાન બાપુનું ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું