અંજાર: મહંત ત્રિકમદાસજી મહારાજનું ઉત્તર પ્રદેશમાં વિશિષ્ટ સન્માન
Anjar, Kutch | Jun 12, 2026 ઉત્તરપ્રદેશના ગોવર્ધનધામ ખાતે આયોજિત ભક્તપાલ કથાના ધાર્મિક પ્રસંગે નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ અને અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજનું સંતસમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સંપ્રદાયોના સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક સૌહાર્દ અને ધાર્મિક એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો.