ગાંધીધામ: આદિપુરમાં પંચમુખી હનુમાન મંદિર નજીક ઝાડીઓમાંથી કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર
આદિપુર ખાતે પંચમુખી હનુમાન મંદિર પાસે બાવળની ઝાડીઓમાં એક અજાણી વ્યક્તિની ફાંસી ખાધેલી અને કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરાઈ છે. મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.