તારાપુર તાલુકાના મોરજ ગામે આવેલી પવિત્ર આસ્તાના હઝરત મૌલાના અબ્દુલ્લાહ (ર.અ.) બાવા દરગાહ ખાતે ઉર્ષ મુબારકની પરંપરાગત અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ બે દિવસીય ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મોરજ ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.આ ઉર્ષ માત્ર મુસ્લિમ બિરાદરો પૂરતો સીમિત ન રહેતા, તમામ ધર્મના લોકોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે