નગરપાલિકાને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે, શાકમાર્કેટ જેવા જાહેર વિસ્તારમાં કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર માંસનું વેચાણ થઈ રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાતી હતી, જેનાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો હતો.નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકીને તપાસ હાથ ધરી હતી, જેમાં જરૂરી દસ્તાવેજો કે નિયમોનું પાલન ન કરનારા 18 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરાવી સીલ કરી હતી.