જૂનાગઢના ઈવનગરમાં વર્ષ 2023માં બનેલી માતાની હત્યાના કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પ્રેમસંબંધમાં અવરોધરૂપ બનતી માતાની લોખંડના પાના જેવા હથિયારથી હત્યા કરનાર પુત્રી મીનાક્ષી ગોવિંદભાઈ બામણીયા અને તેના પ્રેમી અમિત નાથા પરમારને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ એક-એક હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે, દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજા ભોગવવાનો હુકમ કર્યો