જૂનાગઢ: ખલીલપુરમાં રોડના કામ બાબતે સુપરવાઈઝર પર હુમલો: પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ
ખલીલપુરની વાડી વિસ્તારમાં રોડ કામ દરમિયાન સુપરવાઈઝર પર હુમલાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ગામના ગોવિંદભાઈ વાસીયા સાથે સંજયભાઈ વંશએ ગટર મુદ્દે ઉગ્ર બોલાચાલી કરી પથ્થરમારો કર્યો, જેમાં ગોવિંદભાઈને ઈજા પહોંચી. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.