અંજાર: અંકલેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય સમાપન
Anjar, Kutch | May 25, 2026 અંજારના એકતાનગર સ્થિત પ્રખ્યાત અંકલેશ્વર મહાદેવ મંદિરે તા. ૧૭-૦૫-૨૦૨૬થી ૨૫-૦૫-૨૦૨૬ દરમિયાન સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી સંગીતમય શૈલીમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા પ્રખર વકતા એડવોકેટ દિનેશભાઈ રાવલ વ્યાસપીઠેથી કથાનું રસપાન કરાવી રહ્યા હતા.તારીખ 25 મે ના રોજ કથાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.