ગાંધીધામ: મિલ્કત તથા શરીર સબંધી ગુનાઓ આચરતા માથાભારે ત્રણ ઇસમોને કચ્છ જીલ્લા માંથી તડીપાર કરતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની સૂચના હેઠળ પીઆઈ એસ.વી.ગોજીયાએ અંજાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ તડીપારની દરખાસ્ત મોકલી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં જ કિડાણાના ઈમરાન ઉર્ફે ઇમલો ઈબ્રાહિમ કટીયા અને અબ્દુલ મુસા ચાવડા તેમજ ખારીરોહરના રફિક ઉર્ફે ઉંદર કાસમ નિગામણાને કચ્છ અને તેની આસપાસના જિલ્લાઓની હદમાંથી હદપાર કરી હુકમની બજવણી કરાઈ છે.