ગાંધીધામ: આદિપુરમાં હનુમાન જયંતી નિમિત્તે શોભાયાત્રા: રોકડિયા હનુમાન મંદિરથી ભવ્ય શોભાયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
શ્રીરામ ગૌસેવા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રાએ રોકડિયા હનુમાન મંદિરથી નગરમાં પરિક્રમા કરી હતી.આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો, સાધુ-સંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પોલીસે ફરજ બજાવી હતી.મંદિર પરિસરમાં રાત્રે મહા આરતીનુ આયોજન કરવામાં આવ્યું છે.