ખંભાત: ખંભાત કેન્દ્રનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 79.41% પરિણામ અને સામાન્ય પ્રવાહનું 94.35% પરિણામ નોંધાયું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026નું ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખંભાત કેન્દ્રએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બંનેમાં પ્રશંસનીય પરિણામ પરિણામ મેળવ્યા છે.સામાન્ય પ્રવાહમાં ખંભાત કેન્દ્રનું પરિણામ 94.35% રહ્યું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ (92.71%) કરતા પણ વધુ છે.વિજ્ઞાન પ્રવાહમાં ખંભાત કેન્દ્રનું પરિણામ 79.41% નોંધાયું છે.આ અંગે SVS કન્વીનર રસિક પંડ્યાએ સોમવારે બપોરે 2 કલાકે પ્રતિક્રિયા આપી હતી.