ગાંધીધામ: આદિપુરમાં સેવા યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપીંડી અને વિશ્વાશઘાતના આરોપીઓને ગણતરીના કલાકોમાં આદિપુર પોલીસે ઝડપ્યા
આદિપુરમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા' ના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાના મામલામાં આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ આદિપુર પોલીસે કાર્યવાહી કરીને પાટણના સિદ્ધપુરના વતની કેતન મહેશભાઈ પરમાર અને નરેશ અંબાલાલ શ્રીમાળીને ઝડપી પાડયા છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી છેતરપિંડીના રોકડા ₹2,64,670 અને પાવતી બુકો જપ્ત કરી છે.