અંજાર: અજાપરમાં પવનચક્કીનું સામાન પડતાં યુવાનનું મોત
Anjar, Kutch | Apr 21, 2026 અંજારના અજાપરમાં આવેલી કંપનીમાં કામ કરતી વેળાએ પવનચક્કીનો સામાન પડતાં ઈજાઓનાં કારણે સંજય દિલીપ પ્રજાપતિ નામના શ્રમિકનુ મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ અજાપરની ડી ફેબ્રિક નામની કંપનીમાં ગઈકાલે બપોરે જીવલેણ બનાવ બન્યો હતો. આ કંપનીમાં કામ કરનાર સંજય નામનો યુવાન કંપનીમાં બપોરે કામ કરી રહ્યો હતો,દરમ્યાન કોઈ કારણે પવનચક્કીનો સામાન તેની ઉપર પડતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેને લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.