ખંભાત: ખંભાત પ્રવાસી સ્થળો બંધ કરાતા જનતામાં રોષ,જાગૃત નાગરિકોએ તાત્કાલિક ખુલ્લા મુકવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત
Khambhat, Anand | May 20, 2026 ખંભાતના પ્રખ્યાત દરિયાકાંઠા, પબ્લિક પાર્ક અને સી-બેન્ક જેવા મનોરંજનના સ્થળોને સામાન્ય જનતા માટે અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ અને નિરાશા વ્યાપી ગઈ છે. આ લોકઉપયોગી સ્થળોને તાત્કાલિક ધોરણે ફરીથી ખુલ્લા મુકવાની માંગ સાથે શહેરના જાગૃત નાગરિકો દ્વારા ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ મામલે જાગૃત નાગરિકો મુસ્તફા બેલીમ, મેહુલ પરમાર, શાકિર શેખ અને જાનીસાર શેખ દ્વારા સહીઓ કરીને આવેદન આપ્યું છે.