કેશોદ તાલુકાના ખમીઘાણા ગામના વૃધ્ધા સુમરીબેન બારૈયાને ગામના પૂજારી મહેશભાઇ વ્યાસે લૂંટના ઇરાદે પાણી પીવા માટે બોલાવી હત્યા કર્યાનો ભેદ ઉકેલાયો છે.સાથે એના મોબાઇલમાં પોલીસે તપાસ કરતા 150 જેટલી મહિલાઓના ફોટા મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.આમ આટલી બધી મહિલાના કોટા મોબાઇલમાં મળતા પૂજારી ની વિકૃત માનસિકતા સામે આવી છે.આમ પૂજારીની આ કરતુતથી ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.હાલ પોલીસે પૂજારીને ઝડપી જેલ હવાલે કર્યો છે.