ગોવર્ધન પર્વત સતાપર ખાતે અખિલ ભારતીય પરંપરા વાનઔષધિ પ્રશિક્ષિત વૈદ્ય મહાસંઘ, સચિદાનંદ મંદિરનાં મહંત ત્રિકમદાસ મહારાજ, પતંજલિ યોગ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૧૨થી તા. ૨૮/૧૨ દરમ્યાન આર્યુવેદીક શરીર શુધ્ધિકરણ આવાસી શિબિર યોજાશે. તા. ૨૪/૧૨ના સાંજે ૫ વાગે દર્દીએ હાજર થવાનું અને તા. ૨૮/૧૨ના બપોરે શિબિર સમાપ્ત થશે. આ શિબિરમાં બીમાર તેમજ તંદુરસ્ત કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકશે.