પાલીતાણા: ઓવરબ્રિજ નજીક એકટીવા અને એસટી બસ વચ્ચે અકસ્માત
આજે તારીખ 2 એપ્રિલ ના રોજ સાંજના 5 કલાકમાં અરસામાં પાલીતાણા શહેરના મુખ્ય ઓવરબ્રિજ નજીક બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ એસટી બસ તથા એક્ટિવાને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને કારણે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને થોડો સમય ટ્રાફિક પણ અસરગ્રસ્ત રહ્યો હતો. જો કે બાદમાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.