ગાંધીધામ: ગાંધીધામ શહેર પ્રગતિના પંથે અરજણ મોલ સામે આવેલ રોડ હવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો
ગાંધીધામ શહેર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે અરજણ મોલ સામે આવેલ રોડ હવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે, જેના કારણે શહેરવાસીઓને રાહત અને સુવિધાનો અનુભવ થશે. શહેરમાં શરૂ કરાયેલા વિકાસ કામો હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે અને તેનો સીધો લાભ જનતાને મળી રહ્યો છે. મનપા કમિશનર મનીષ ગુરવાનીના સુપરવિઝન હેઠળ ગાંધીધામમાં આધુનિક સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે અને આવનારા સમયમાં પણ શહેર વધુ સુવ્યવસ્થિત બનશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.