ગાંધીધામ: ઉમેદવારોએ બપોર સુધી માત્ર 30 ટકા મતદાન થતા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કરી અપીલ
ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વોર્ડના ઉમેદવારોએ બપોરના અંદાજિત 3:00 વાગ્યા સુધી લગભગ 30 ટકા સુધી મતદાન થતા જનતાને મતદાન કરવા અપીલ કરી છે. ઉમેદવારોએ જણાવ્યું કે લોકશાહીના પર્વમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. મતદાન મથકો પર પહોંચી શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની વિનંતી કરવામાં આવી છે. વધુમાં નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.