વર્ષ-૨૦૧૨માં થાનગઢમાં પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા દલિત યુવકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા. આ દલિત હત્યાકાંડ બાબતે મેં ગઈકાલે ગૃહમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, થાનગઢ હત્યાકાંડમાં સરકારે તપાસ સમિતિની રચના કરેલ હતી અને સમિતિનો અહેવાલ ૨૦૧૩ માં આવ્યો હતો, તો આ અહેવાલ આધારે સરકારે શું પગલાં લીધા? ગૃહમંત્રીનો જવાબ હતો કે, અહેવાલ તો ૨૦૧૩માં મળ્યો છે