ભેંસાણ તાલુકાના દુધાળા-મેંદપરા ગામે જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગામપંચાયત કચેરીની દફતરની તપાસણી કરવામાં આવી અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.કલેકટરશ્રીએ સરપંચશ્રી, સભ્યોશ્રી તેમજ ગામલોકો સાથે બેઠક યોજી ગામના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી. પાણી, રસ્તા, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે વિગતવાર વિચારણા કરવામાં આવી.