ભેંસાણ શહેરમાં અક્ષરધામ સોસાયટીથી સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રી રામ ચોકથી લઈ તાલુકા લેઉવા પટેલ સમાજ સુધીના મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે બે વર્ષ અગાઉ રોડની વચ્ચે ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. તે સમયે વિકાસના નામે અને ટ્રાફિક સુવિધા સુધારવાના હેતુથી આ કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ હવે બે વર્ષ બાદ એ જ વિભાગ દ્વારા અચાનક આ ડિવાઇડર ટ્રાફિક માટે નડતરરૂપ અને અકસ્માતના જોખમરૂપ હોવાનું કહી તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.