પાલીતાણા: બડેલી ગામના ભારતીય સેનાના જવાન નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો
આજે તારીખ 5 એપ્રિલના રોજ ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી પોતાની અમૂલ્ય સેવા આપી નિવૃત્ત થઈ વતન પરત આવેલ દેશના વીર જવાન પરમાર ચંદ્રકાંતભાઈ પ્રહલાદભાઈ ભવ્ય સન્માન કરવામાં આવ્યું, ઘોડીઢાળ થી ભવ્ય સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ગૌરવયાત્રા ઘોડીઢાળથી નવાગામ ઠાકર દ્વારા સુધી યોજાઇ, સમસ્ત નવાગામ (બડેલી) પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગામલોકો દેશપ્રેમ સાથે ઉપસ્થિત રહી વીર જવાનના સમર્પણને બિરદાવવા બિરદાવ્યું હતું.