ગાંધીધામ: શિણાય-ભારાપરમાં તંત્રની મોટી કાર્યવાહી : 50થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા
વહીવટી તંત્ર દ્વારા ગાંધીધામના શિણાય ગામ નજીક સરકારી જમીન પર આવેલું અંદાજે 40 ચોરસ મીટર વિસ્તારનું દબાણ કાયદેસરની કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવ્યું હતું.1.94 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.જ્યારે ભારાપર ગામ નજીક રેણુકા સુગર સામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા 50થી વધુ ઓરડીઓ અને કેબીનો પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.આ કાર્યવાહીમાં અંદાજે 1.94 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.